Selling soft drinks next to alcohol reduces 'alcohol purchases'
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં રહેતા એક પરિવારનો માળો એક રાતમાં વીખાઈ ગયો હતો. જૈન પરિવારના વયોવૃદ્ધ વડીલનું કોરોનાના અવસાન થતાં તેના દુ:ખમાં તેમના ધર્મપત્ની તથા બે પુત્રોએ શુક્રવારે સવારે આપઘાત કર્યો હતો.

આ ઘટનાના વિગત મુજબ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને છૂટક ફરસાણનો વ્યવસાય કરતાં જયેશભાઈ જશવંતભાઈ જૈન (ઉ.વ. 60) બે દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન સ્થાનિક હોસ્પિટલમાં ગુરુવારે મોત નીપજ્યું હતું. જયેશભાઈ જૈનની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ઘરે આવીને જયેશભાઈ જૈનના પત્ની સાધનાબેન તથા બે યુવાન પુત્રો કમલેશ અને દુર્ગેશ જૈને પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા પરિવારના મોભીના અવસાન બાદ તેમના પત્ની અને બન્ને પુત્રોના પણ મોત થયા હતા.