પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુરતના સગરામપુરા વિસ્તારના એક એપોર્ટમેન્ટમાં સોમવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટરપેટીનો ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બારી લટકીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ નથી.

ઘટનાની માહિતી મુજબ આ વિસ્તારના પાંચ માળના અર્જૂન એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી અને તેને સુરત ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસે થોડી મિનિટમાં કાબૂમાં લીધી હતી, પરંતુ આગનો ધુમાડો ફેલાતા ફ્લેટના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફ્લેટના રહેવાસીઓ પોતાના જીવ બચાવવા માટે ચોથા માળની બારી પર લટક્યા હતા અને બાજુની બિલ્ડિંગની બારીમાં ગયા હતા.