સકારાત્મક
(ANI Photo)

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવાર, 20 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે યુકે અને ઓમાન સાથે ભારતના મુક્ત વેપાર કરાર (FTA)નો એપ્રિલથી અમલ થવાની ધારણા છે, જ્યારે ન્યુઝીલેન્ડ સાથેનો કરાર સપ્ટેમ્બરમાં અમલમાં આવી શકે છે. 27 દેશોનો બ્લોક યુરોપિયન યુનિયન પણ શક્ય તેટલી વહેલી તકે વેપાર કરાર અમલી કરવા માગે છે.

નિકાસ પ્રોત્સાહન મિશનના એક કાર્યક્રમમાં ગોયલે જણાવ્યું હતું કે 27 દેશો શક્ય તેટલી વહેલી ઝડપથી વેપાર કરારનો અમલ કરવા માગે છે. ભારત અને યુકે વચ્ચે 24 જુલાઈ 2025ના રોજ સર્વગ્રાહી આર્થિક અને વેપાર સમજૂતી (CETA) થઈ હતી. જે હેઠળ ૯૯ ટકા ભારતીય નિકાસ શૂન્ય ડ્યુટી પર બ્રિટિશ બજારમાં પ્રવેશ કરશે, જ્યારે ભારતમાં કાર અને વ્હિસ્કી જેવા બ્રિટિશ ઉત્પાદનો પરના ટેરિફ ઘટાડવામાં આવશે.આ કરાર લાગુ થાય તે પહેલાં તેને યુકે સંસદની મંજૂરીની જરૂર છે.ભારતમાં, કેન્દ્રીય મંત્રીમંડળ આવા કરારોને મંજૂરી આપે છે. બ્રિટિશ સંસદ દ્વારા મંજૂરી મળ્યા પછી, તે પરસ્પર સંમત તારીખે અમલમાં મૂકવામાં આવશે.

ભારતે ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓમાન સાથે વેપાર કરાર એટલે કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા હતો. ભારતનો આ 17મો વેપાર કરાર છે. કરાર મુજબ, ઓમાનએ તેની 98થી વધુ ટેરિફ લાઇન અથવા ઉત્પાદન શ્રેણીઓ પર શૂન્ય-ડ્યુટી ઍક્સેસ ઓફર કરી છે, જે ગલ્ફ દેશમાં ભારતની નિકાસના 99.38 ટકાને આવરી લે છે.

/* */

22 ડિસેમ્બર, 2025ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડે જાહેરાત કરી હતી કે તેઓએ મુક્ત વેપાર કરાર પરની વાટાઘાટો પૂર્ણ કરી છે. આ કરાર હેઠળ ભારતને ટાપુ રાષ્ટ્રના બજારોમાં ટેરિફ-મુક્ત પ્રવેશ આપશે, આગામી 15 વર્ષમાં USD 20 બિલિયનનું રોકાણ લાવશે અને આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવામાં મદદ કરશે.

27 જાન્યુઆરીના રોજ, ભારત અને યુરોપિયન યુનિયન (EU)એ મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતા. ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ તરીકે ઓળખાતા આ કરારથી ભારતની 93 ટકા નિકાસ યુરોપના 27 દેશોમાં ટેરિફમુક્ત બનશે. ભારત પણ લક્ઝરી કાર અને વાઇન્સ પરની ટેરિફમાં ઘટાડો કરશે.

LEAVE A REPLY