અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાના 15 દિવસ બાદ બુધવાર, 17 નવેમ્બરે વધુ એક સીનિયર સિટીઝનની ગળુ કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. શહેરના સાબરમતી વિસ્તારમાંથી ગળું કાપેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ કેસ નોંધીને તપાસ ચાલુ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ 62 વર્ષીય દેવેન્દ્ર રાવત તરીકે થઈ છે. મૃતકની સોનાની ચેઈન, મોબાઈલ અને બાઈક ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે. મીડિયા અહેવાલ મુજબ સાબરમતીના ઠાકોરવાસ વિસ્તારમાં દેવેન્દ્ર રાવના નામના 62 વર્ષીય વૃદ્ધ એકલા હતા. દેવેન્દ્રભાઈ રાતે ઘરમાં સૂતા હતા ત્યારે મધરાતે અજાણ્યા વ્યક્તિ ઘરમાં ઘૂસીને વૃદ્ધે ગળાના ભાગે છરીના ઘા ઝીંકીની હત્યા કરીને બાઈક, સોનાની ચેઈન અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 2 નવેમ્બરના રોજ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી.. આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા હત્યારાઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.પ્રાથમિક રીતે લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ ઘરમાંથી માત્ર 500 રૂપિયા જ ગયા હતા.