પેરિસથી નવી દિલ્હી જતી ફ્લાઇટમાં મુસાફરોના અનિચ્છનીય વર્તનની જાણ ન કરવા બદલ એર ઇન્ડિયાને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે ,કે તાજેતરમાં એક મહિનાથી ઓછા સમયમાં બીજીવાર DGCA દ્વારા એર ઇન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએના જણાવ્યા મુજબ, 6 ડિસેમ્બરની આ ઘટનામાં એક મુસાફરે નશામાં શૌચાલયમાં ધૂમ્રપાન કર્યું હતું અને તેણે ક્રૂની સૂચનાઓનું પાલન કર્યું નહોતું. આ વર્ષે 5 જાન્યુઆરીના રોજ પ્રથમ વખત આ ઘટના વિશે જાણ થયા પછી DGCAએ એર ઈન્ડિયાના જવાબદાર મેનેજરને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી કે તેમની નિયમનકારી જવાબદારીઓને અવગણવા બદલ તેમની સામે શા માટે પગલાં લેવામાં ન આવે. એરલાઈનના જવાબ પર વિચાર કર્યા પછી DGCA એ એર ઈન્ડિયા પર નિયામકને ઘટનાની જાણ ન કરવા અને તેની ઇન્ટરનલ કમિટીને આ મામલો મોકલવામાં વિલંબ કરવા બદલ દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ‘પેશાબકાંડ’ના ઘટનાક્રમ બાદ DGCA એર ઈન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

3 × 5 =