Akshay as Shivaji
Getty Images)
અક્ષયકુમાર અત્યારે પોતાની મરાઠી ફિલ્મ અંગે ચર્ચામાં છે. તે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષયકુમારની આ પ્રથમ મરાઠી ફિલ્મ છે જેનું નામ ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ છે. તેણે સોશિયલ મીડિયામાં એક ખાસ પોસ્ટ મુકીને ફિલ્મના શૂટિંગની શરૂઆત વિશે માહિતી આપી હતી અને થોડા સમય પછી એક વીડિયો પણ શેર કર્યો જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજના લૂકમાં જોવા મળી રહ્યો છે.
તેણે છત્રપતિ શિવાજી મહારાજનો એક ફોટો શેર કર્યો છે, જેમાં અક્ષય કુમારની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. અભિનેતાએ લખ્યું, ‘હું મરાઠી ફિલ્મ વેદાત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે હું ભાગ્યશાળી છું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને મા જીજાઉના આશીર્વાદથી હું મારો સંનિષ્ઠ પ્રયાસ કરીશ. તમારા આશીર્વાદ આપતા રહેશો.

LEAVE A REPLY

4 × one =