(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

મૂળ સાઉથ ઇન્ડિયન ફિલ્મકાર મણિરત્નમની નવી ફિલ્મમાં ઐશ્વર્યા બચ્ચન બેવડી ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. જો તે આ ફિલ્મ સ્વીકારશે તો તેની કરીઅરમાં પ્રથમવાર ડબલ રોલ કરશે. અગાઉ ગુરુ, બોમ્બે અને રોઝા જેવી હિટ ફિલ્મો બનાવનાર મણિરત્નમની નવી ફિલ્મ અંગે બોલીવૂડમાં ચર્ચા છે.

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય ફક્ત લીડ રોલમાં જ નહીં પરંતુ ડબલ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ માટે રૂ. ૫૦૦ કરોડનું બજેટ હોવાનું જાણવા મળ્યું છે. આ બોલીવૂડની બીજી બાહુબલી ફિલ્મ કહેવાશે. આ ફિલ્મની સ્ટોરી મહાન લેખક અને કવિ આર. કૃષ્ણમૂર્તિ કલ્કિના ઐતિહાસિક પુસ્તક પર આધારિત હશે. જોકે, ફિલ્મ ક્યારે પ્રદર્શિત કરાશે તેનું કોઇ આયોજન જાહેર કરવામાં આવ્યું નથી. આ મેગા બજેટ ફિલ્મમાં સાઉથના પણ ઘણા કલાકારો હશે. આ ફિલ્મનું પ્રથમ શેડયુલનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને હવે બીજા શેડયુલની તૈયારી કરી થઇ રહી છે.