વડોદરામાં બવામપુરા વિસ્તારમાં નિર્માણધિન બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને ત્રણ વ્યક્તિના મોત થયા હતા. (PTI Photo)

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. બિલ્ડિંગના કાટમાળમાં નવ લોકો દબાયા હતા. મૃતકોમાં એક મહિલા અને 2 પુરૂષો સામેલ છે.

ફાયરબ્રિગેડે તાબડતોબ રાહત અને બચાવ ઓપરેશન હાથ ધરી નવ પૈકી એક બાળક સહિત ત્રણ વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જોકે તે પૈકીના બે પિતરાઈ ભાઈઓ અને એકની પત્ની મળીને કુલ ત્રણ લોકોના મોત થયા હતા. બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટર દુર્ઘટના બાદ ફરાર થઈ ગયો છે. બાવામાનપુરામાં 6 મહિનાથી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલતું હતું. બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં રાજસ્થાનના મજૂરો ત્યાં જ રહીને મજૂરી કામ કરતા હતા. બિલ્ડિંગનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું હતું.