Modi tops the list of the world's most popular leaders
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો ) (ANI Photo)

2023ને રવિવારે બપોરે 12 કલાકે બીબીસી, બ્રોડકાસ્ટીંગ હાઉસ, પોર્ટલેન્ડ પ્લેસ, લંડન W1A 1AA ખાતે કરવામાં આવ્યું છે. જેમાં લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા સોસ્યલ મીડીયા દ્વારા આહ્વાન કરાયું છે.

હિંદુ સમુદાય પરના નફરતભર્યા હુમલાઓ અને હિંદુ વિરોધી પ્રચાર અંગે તપાસ કરવા માટે સંસદીય સમિતિની રચના કરવાની માંગ સાથે કૃષ્ણ જગલાન દ્વારા યુકે પાર્લામેન્ટની વેબસાઇટ પર ક પીટીશન જાહેર કરવામાં વી છે. જેમાં મંગળવારે બપોરના 12-15 સુઘીમાં 7,592 લોકો સહી કરી ચૂક્યા છે.

બીબીસી સામે વિરોધ વ્યક્ત કરવા અને બીબીસીની મોદી સામેની ડોક્યુમેન્ટ્રી અંગે સ્વતંત્ર તપાસ નિમવાની માંગણી સાથે ચેન્જ ઓર્ગ પર એશ પરમારે એક પીટીશન શરૂ કરી છે. જેમાં આજે આ અહેવાલ લખાય છે ત્યારે મંગળવારે બપોરે 12-19  સુધીમાં 12818 લોકોએ સહીઓ કરી છે. છેલ્લા 24 કલાકમાં જ લગભગ 8,000 લોકોએ પીટીશનમાં સહી કરી હતતી. પીટીશનની લિંક આ મુજબ છે. https://chng.it/q5gZnQRq

આવી જ રીતે બીબીસીનો વિરોધ વ્યક્ત કરવા બીબીસી ટીવી અને રેડિયોનો ઓછામાં ઓછો એક દિવસ માટે તા. 26 જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તાક દિનો બોયકોટ કરવા અને થઇ શકે તો આજીવન બોયકોટ કરવા  અપીલ કરાઇ છે. બીબીસી સામેનો વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે ભારતીયોએ બીબીસીને ટેકો આપવા માટે સરકાર દ્વારા દર વર્ષે લેવામાં આવતી ટીવી લાયસન્સ ફી નહિં ભરવા સામુહિક ઝુંબેશ શરૂ કરી છે.

સોસ્યલ મિડીયામાં બીબીસી ભારતીયો અને હિન્દુઓ વિરૂધ્ધ અપ્રચાર કરીને સનાતન હિન્દુ મુલ્યોનો ઉપહાસ કરી નુકશાન પહોંચાડતી હોવાના, ખોટા નેરેટીવ્સ ફેલાવતું હોવાના, યુવાન જનમાનસમાં ભારતીયો અને હિન્દુઓ વિરૂધ્ધ દ્વેશ ફેલાવતું હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે.

બ્રિટનમાં રહેતા ભારતીયો અને હિન્દુઓના મતે બીબીસી મોદી અને ભારત સામે એક ગંભીર રમખાણોનો ઉપયોગ કરી લોકોના ઘા તાજા કરી રહ્યું છે અને ભારતીયો અને હિન્દુઓની છબીને બગાડી રહ્યું છે તેમજ યુકેમાં હિન્દુ મુસ્લિમોને લડાવી રહ્યું છે. અન્ય ડાયસ્પોરા જૂથોએ પણ આ ડોક્યુમેન્ટરીની નિંદા કરવા માટે સોશિયલ મીડિયા પર મોરચો માંડ્યો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું હતું કે ઈન્ડિક સોસાયટીના સ્થાપક સભ્ય અને તાજેતરમાં લંડનમાં બીબીસીની બહાર તેના “ભારત વિરોધી પક્ષપાત” બાબતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારા બ્રિટિશ ભારતીય અદિત કોઠારીએ જણાવ્યું હતું કે “શ્રેણીનો હેતુ આગામી 2024ની ચૂંટણીના સંબંધમાં ભારતના શહેરી વસ્તીના એક ભાગને પ્રભાવિત કરવાનો હોવાનું જણાય છે. ભારતમાં બીબીસીનો વપરાશ ખૂબ જ મર્યાદિત હોવા છતાં, આ ડોક્યુમેન્ટ્રી ભારતના મીડિયાને દારૂગોળો પૂરો પાડશે અને બીબીસીની અગાઉની વિશ્વસનીયતાનો ઉપયોગ આ મુદ્દાનો વિરોધ કરવ માટે કરાશે. બીજા ભાગમાં મોદીને અસહિષ્ણુ તરીકે દર્શાવવામાં આવે છે જેઓ મુસ્લિમો સાથે ખરાબ વર્તન કરે છે.’’

તેમણે ઉમેર્યું હતું કે “ઘરેલું રીતે, આ બાબતને યુકેમાં ડાબેરી વલણ ધરાવતા ઉદારવાદી બૌદ્ધિકો દ્વારા ટોરી પાર્ટી અને ઋષિ સુનક પરના સીધા હુમલા તરીકે જોવું જોઈએ. બીબીસી દાયકાઓથી ભારત વિરોધી છે પરંતુ તાજેતરના વર્ષોમાં તે મોદી વિરોધી અને હિંદુ વિરોધી બની ગયું છે. કારણ કે ભારતીય પીએમ મોદી તેમના અગાઉના પુરોગામીઓની જેમ વિદેશમાં ભણેલા છટાદાર અંગ્રેજી વક્તાની તેમની વ્યાખ્યામાં બંધબેસતા નથી અને ભારતીય રાજનીતિમાં દાયકાઓ સુધી ચાલતા સંસ્થાનવાદી હેંગઓવરથી અલગ છે.”

ટ્વિટર પર લોકોએ બીબીસીને ટેગ કરીને ઉગ્ર પ્રતિક્રિયા આપી લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ભારતીય મૂળના એક વ્યક્તિએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે બીબીસીએ બંગાળના દુકાળ બાબાતે “યુકે: ધ ચર્ચિલ ક્વેશ્ચન્સ” નામની શ્રેણી ચલાવવી જોઈએ. તો બીજાએ કહ્યું હતું કે બીબીસીએ યુકેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે બ્રિટન ભારતથી પાછળ પડી ગયું છે.’’

યુકેના કરદાતાઓ દ્વારા ટીવીની લાયસન્સ ફી તરીકે જેને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તે બીબીસી દ્વારા આ સીરીઝને “ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમો વચ્ચેના તણાવ તથા તેમની વચ્ચેના મુશ્કેલીભર્યા સંબંધો તરીકે વર્ગીકૃત કરવામાં આવી રહી છે. આ સીરિઝનો બીજો ભાગ, આવતા મંગળવારે પ્રસારિત થવાનો છે.

હિન્દુઓ અને બ્રિટીશ ભારતીયોના અધિકારો માટે કામ કરતી સંસ્થા ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે, “અમે બીબીસીની દૂષિત ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ની સખત નિંદા કરીએ છીએ. સેમિટિઝમ, હિંદુ વિરોધ અને ભારત વિરોધી પૂર્વગ્રહોથી છિન્નભિન્ન BBCએ ઘણા દર્શકોને ગુમાવ્યા છે અને છતાં પરિણામ અથવા જવાબદારી વિના તેમની નફરત ફેલાવવાનું ચાલુ રાખ્યું છે.”

LEAVE A REPLY

2 × 4 =