File Photo

વેલ્સના કાર્ડીફ ખાતે ગ્રેન્જટાઉનમાં આવેલા મર્ચેસ પ્લેસ પરના શ્રી સ્વામિનારાયણ મંદિરની 40મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે સોમવાર 5મી સપ્ટેમ્બરથી રવિવાર 11મી સપ્ટેમ્બર 2022 સુધી વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3,000 થી વધુ લોકો ભગ લેશે અને સમગ્ર સપ્તાહ દરમિયાન અસંખ્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

ભવ્ય શણગાર સાથેનું સુંદર મંદિર 1982માં શરૂ કરાયું હતું. જેમાં આખા વર્ષ દરમિયાન ઘણા હિન્દુ તહેવારો, વર્ગો અને કાર્યક્રમોનું આયોજન કરાય છે.

વેલ્સ લગભગ તમામ ધર્મોના પૂજા સ્થાનોનું ઘર છે અને લગભગ દેશોના લોકો વેલ્સમાં સાથે એકસંપ થઇ રહે છે. આ મંદિર ઘણા સમર્થકોની સખત મહેનતથી પેઢીઓ સાથે વિકસ્યું અને વિસ્તર્યું છે. વિવિધતા અને સમાવેશ વિશે શીખવા માટેના કેન્દ્ર તરીકે આ મંદિરની હજારો શાળાના બાળકો મુલાકાત લઇ ચૂક્યા છે. આ રીતે મંદિર શહેરના ઇન્ટરફેઇથ નેટવર્કમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

મંદિર દ્વારા કોવિડ રોગચાળા દરમિયાન સવિશેષ સેવા કામગીરી, અનાજ વિતરણ વગેરે કરાયું હતું.

સંપર્ક : રાકેશ હિરાણી 07743 650 392.

LEAVE A REPLY

ten − three =