Congress invites 21 parties to participate in Bharat Jodo Yatra
પંજાબમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા (ANI Photo)

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભારત જોડો યાત્રાના સમાપન સમારોહમાં સામેલ થવા માટે સમાન વિચારધારા ધરાવતા 21 પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું છે, અને જણાવ્યું છે કે તેમની હાજરી યાત્રાના સત્ય, કરુણા અને અહિંસાના સંદેશને મજબૂત કરશે. મોદી સરકાર વિરુદ્ધની આ ભારત જોડો યાત્રાનો સમાપન સમારંભ 30 જાન્યુઆરીએ શ્રીનગર ખાતે યોજાશે. આ યાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી પસાર થઈને 3,300 કિમીથી વધુ કવર કરી ચૂકી છે.

દેશના 21 પક્ષોના પ્રમુખોને લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે યાત્રાની શરૂઆતથી જ કોંગ્રેસે દરેક સમાન વિચારધારાવાળા પક્ષની ભાગીદારી માંગી છે અને રાહુલ ગાંધીના આમંત્રણ પર વિવિધ તબક્કામાં અનેક રાજકીય પક્ષોના સાંસદો તેમાં જોડાયા છે. .

ખડગેએ લખ્યું કે “હું હવે તમને શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ બપોરે યોજાનારી ભારત જોડો યાત્રાના સમાપન સમારોહમાં વ્યક્તિગત રીતે જોડાવા માટે આમંત્રિત કરું છું. આ સમારોહ મહાત્મા ગાંધીની સ્મૃતિને સમર્પિત છે, જેમણે નફરત અને હિંસાની વિચારધારાની સામે આ દિવસે તેમના અથાક સંઘર્ષમાં જીવ ગુમાવ્યો હતો.”

તેમણે જણાવ્યું છે કે આ ઇવેન્ટમાં આપણે ધિક્કાર અને હિંસા સામે લડવા, સત્ય, કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવવા તથા તમામ માટે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના બંધારણીય મૂલ્યોની રક્ષા કરવા માટે આપણી જાતને પ્રતિબદ્ધ કરીશું. સંકટના આ સમયે. આપણા દેશ માટે, જ્યાં લોકોના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન વ્યવસ્થિત રીતે હટાવવામાં આવે છે, આ યાત્રા એક શક્તિશાળી અવાજ તરીકે ઉભરી આવી છે. મને આશા છે કે તમે તેમાં ભાગ લેશો અને તેના સંદેશને વધુ મજબૂત કરશો.”

LEAVE A REPLY

four × three =