ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ માટે ગુજરાતમાં પ્રચાર કરી રહેલા અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલ બંગાળીઓ વિશેના નિવેદનો અંગે વિવાદ થયો હતો. તેમના આ નિવેદનનો ભારે વિરોધ થતાં તેમણે પછી માફી માગી હતી.

વલસાડ ખાતે એક ચૂંટણી સભામાં તેમણે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઘટશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવાનું શરૂ કરશે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો ?”

પરેશ રાવલે અરવિંદ કેજરીવાલને નિશાન બનાવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં પ્રાઈવેટ પ્લેનમાં આવીને દેખાડો કરવા માટે રિક્ષામાં બેસે છે. અમે આખું જીવન એક્ટિંગમાં વીતાવ્યું છે, પણ અમે આવા નૌટંકીવાલા જોયા નથી અને હિંદુઓ વિરુદ્ધ પુષ્કળ અપશબ્દો બોલ્યા છે. તેણે શાહીન બાગમાં બિરયાની ઓફર કરી હતી.
ઘણાએ તેને બંગાળીઓને ઉદ્દેશીને “દ્વેષયુક્ત ભાષણ” કહ્યું. અન્ય લોકોએ તેને બાંગ્લાદેશી અને રોહિંગ્યા વિરુદ્ધ “ઝેનોફોબિક ડોગ-વ્હિસલિંગ” તરીકે વર્ણવ્યું હતું.

બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે, “બંગાળીઓને તમારે તેમના માટે “માછલી રાંધવાની” જરૂર નથી. યાદ રાખો કે તમે પણ મહારાષ્ટ્રમાં તમારી કારકિર્દી બનાવી છે જ્યાં અમે તમને પ્રેમથી ઢોકળા અને ફાફડા ખવડાવ્યા હતા. ગુજરાતમાં ભાજપના આદેશ પર તમે બંગાળ સામે કરેલી આ ધિક્કારપાત્ર ટિપ્પણીઓ માટે પાછા ખેંચો અને માફી માગો.

સોશિયલ મીડિયામાં આ અંગે વિવાદ થયા પછી તેમણે ટ્વીટર પર માફીને જણાવ્યું હતું કે, તેમનો અર્થ “ગેરકાયદે બાંગ્લાદેશીઓ” છે.”અલબત્ત માછલી એ મુદ્દો નથી કારણ કે ગુજરાતીઓ માછલી રાંધતા પણ નથી અને ખાતા પણ નથી. પરંતુ અહીં બંગાળીઓ માટે મારો અર્થ અહીં ગેરકાયદે બાંગ્લાદેશી અને રોહિંગ્યા છે. પરંતુ તેમ છતાં જો મેં તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું દિલગીર છું. મને માફ કરો.”

LEAVE A REPLY

14 + 4 =