(Photo by MARK FELIX/AFP via Getty Images)

અમેરિકાના યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરવામાં આવેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારી સરફેસ જેવા દરવાજા દ્વારા ફેલાતી નથી. આ રિસર્ચ સાથે સંકળાયેલા પ્રોફેસર મોનિકા ગાંધીએ કહ્યું કે સપાટી દ્વારા ફેલાયેલા કોરોના વાયરસનો મુદ્દો વાસ્તવમાં ખત્મ થઈ ગયો છે.

તેમણે કહ્યું કે જમીન પર પડેલા કોઈપણ વાયરસમાં વ્યક્તિને બીમાર કરવાની એટલી શક્તિ હોતી નથી. આ રિસર્ચ પરથી ખબર પડે છે કે કોરોનાનો ફેલાવો રોકવા માટે હાથ ધોવા અને પોતાના ચહેરાને ના અડવા જેવા પગલાં કરતાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક પહેરવા જેવા પગલાં વધુ સારા સાબિત થાય છે. મોનિકાએ કહ્યું કે આનો અર્થ એ પણ છે કે સમગ્ર વિશ્વમાં સતત એન્ટિ બેક્ટેરિયલ સ્પ્રેનો છંટકાવ જમીન પર કરવો બિનજરૂરી હોઈ શકે છે.

પ્રોફેસર ગાંધીએ અમેરિકાની એક સાયન્સ વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ સરફેસ દ્વારા ફેલાતો નથી. આ મહામારીની શરૂઆતમાં સંક્રમક પદાર્થોને લઇ લોકોમાં કેટલાંય પ્રકારનો ભય હતો. હવે આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસના ફેલાવાનું મુખ્ય કારણ સરફેસ અને તમારી આંખોને સ્પર્શવાથી નથી. તેમણે કહ્યું કે કોરોના વાયરસ એવા કોઈ વ્યક્તિની નજીક હોવાથી ફેલાય છે જે કોરોના વાયરસથી પીડિત છે અને તેમના નાકમાંથી પાણી નીકળે છે અથવા તો ઉલટી થઇ રહી છે.