Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 76માં સ્વતંત્રતા દિને સોમવારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કરવાની અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ લોકકલ્યાણની યોજનાઓનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી.

તેમણે પહેલી જાન્યુઆરી 2022ની અસરથી સાતમા પગાર પંચ હેઠળ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેનાથી રાજ્ય સરકાર, પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શરને સહિત આશરે 9.38 લાખ કર્મચારીઓને લાભ થશે. ડીએમાં વધારાથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.1,400 કરોડનો બોજ પડશે.  

તેમણે NFSA કાર્ડ હોલ્ડર્સ માટે ફેમિલી સ્કીમ દીઠ કાર્ડ દીઠ એક કિગ્રા અનાજ આપવાની પણ જાહેરાત કરી હતી. આ ધારા હેઠળ લાભાર્થીઓના સમાવેશ માટે આવકની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તમામ 250 તાલુકાના 71 લાખ એનએફએસએ કાર્ડ હોલ્ડર્સને રાહતના દર દર મહિને કાર્ડ દીઠ એક કિલોગ્રામ અનાજ આપવામાં આવશે. હાલમાં માત્ર 50 તાલુકાના લોકોને આ સ્કીમનો લાભ મળે છે. આ સ્કીમ માટેની માસિક આવક મર્યાદાને રૂ.10,000થી વધારીને રૂ.15,000 કરવામાં આવી છે.  

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે દ્વારકા, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી આઇકોનિક રૂટ પર ઇલેક્ટ્રિક બસ દોડવામાં આવશે. આ ઉપરાંત 50 બસ સ્ટેશનો પર એટીએમ મૂકવામાં આવશે.