The Kapil Sharma Show will end?
(ANI Photo)

સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે આગવી ઓળખ બનાવનાર કપિલ શર્માની હવે ફિલ્મોમાં અભિનેય માટે માગ વધી છે. તેના બોલિવૂડમાં કમબેકને કારણે અત્યારે વધારે ચર્ચામાં છે. કપિલ શર્માએ વર્ષ 2015માં ‘કિસ કિસ કો પ્યાર કરું’ અને વર્ષ 2017માં ‘ફિરંગી’ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ‘ફિરંગી’ ફિલ્મને કપિલે પ્રોડ્યુસ પણ કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ ગઇ હતી, પછી, કપિલે બ્રેક લીધો હતો અને તેણે ફરીથી એક્ટર-ફિલ્મ મેકર નંદિતા દાસની ફિલ્મ ‘ઝ્વિગાટો’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના વખાણ થયા પછી, કપિલ ખૂબ જ ખુશ છે અને ફિલ્મને પ્રમોટ કરવાની સાથે રિલીઝની તૈયારી કરી રહ્યો છે.

કપિલે ફિલ્મ ‘ઝ્વિગાટો’ અંગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ, મને આવી 9 ફિલ્મો ઓફર થઈ ચૂકી છે અને બધી જ ફિલ્મો સિરિયસ જોનરની હતી પણ મને સ્ક્રિપ્ટ વાંચીને લાગ્યું કે, અનેક રાઈટર્સ તેમના કામ પ્રત્યે સિરિયસ ન હતા અને આ કારણે મેં બધી જ ઓફર નકારી દીધી છે. ‘ઝ્વિગાટો’ની વાત કરીએ તો, હું ભગવાનનો આભારી છું કે, મને સારી ઓફર મળી રહી છે. હું એવી જ ફિલ્મો કરવા ઇચ્છુ છું જે મારા દિલને ગમી જાય. ફિલ્મો માટે મારી પહેલી અને છેલ્લી પ્રાથમિકતા આજ રહેશે. હું પૈસા કમાવવા માટે ફિલ્મો નથી કરવા ઈચ્છતો. ભગવાનની કૃપાથી મેં કોમેડી શોમાંથી ઘણા પૈસા કમાયા છે.

LEAVE A REPLY

nine − two =