(Photo by Richard Heathcote/Getty Images)

ઈંગ્લેન્ડે ભારત સામેની ટી-૨૦ અને વન ડે-શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. મોર્ગનની નિવૃત્તિ પછી જોસ બટલરને બંને ટીમનું સુકાનીપદ સોંપાયું છે. ભારત સામેની ટેસ્ટ મેચની ટીમના એક પણ ખેલાડીને ટી-૨૦ શ્રેણીમાં તક અપાઈ નથી, કારણ કે ટેસ્ટ પુરી થયાના એક દિવસ પછી જ ટી-૨૦ શ્રેણી શરૂ થવાની છે. જો કે, બેરસ્ટો, રૂટ તથા સ્ટોક્સને વન-ડે ટીમમાં સમાવાયા છે.

લેન્કેશાયરના ૩૪ વર્ષના ફાસ્ટ બોલર રીચાર્ડ ગ્લીસનને પહેલીવાર ટી-૨૦ ટીમમાં તક અપાઈ છે. સ્પિનર આદિલ રાશિદ હજયાત્રાએ ગયો હોવાથી ભારત સામેની શ્રેણીમાં રમવાનો નથી. ઈંગ્લેન્ડની ટી-૨૦ ટીમ: જોશ બટલર (કેપ્ટન), મોઈન અલી, બ્રુક, સેમ કરન, ગ્લીસન, જોર્ડન, લિવિંગસ્ટન, મલાન, મિલ્સ, પાર્કિન્સન, રોયલ, સોલ્ટ, ટોપ્લેય, વિલી.

વન-ડે ટીમ: જોશ બટલર (કેપ્ટન), મોઈન અલી, બેરસ્ટો, બ્રુક, કાર્સ, સેમ કરન, લિવિંગસ્ટન, ઓવર્ટન, પાર્કિન્સન, રૃટ, રોય, સોલ્ટ, સ્ટોક્સ, ટોપ્લેય, વિલી.