પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે કુદરતી આપત્તિને કારણે 2021ની ખરીફ ઋતુમાં પાક નુકસાન સામે ખેડૂતોને લાભ આપવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ગુરુવારે મંજૂરી આપી હતી.આ યોજનાનો લાભ રાજ્યના 53 લાખ ખેડૂતોને થશે. પ્રીમિયમ ભર્યા વિના પણ ખેડૂતોને સહાય મળશે.

આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સીમાંત સહિત તમામ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતાં પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ જો પાકને 33 થી 60 ટકા નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. જો પાક નુકસાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે.