છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર ગુરુવારે સાંજે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં બે પાયલોટના મૃત્યુ થયા છે. પ્રેક્ટિસ દરમિયાન તેઓ પરત આવી લેન્ડ થઇ રહ્યા હતા ત્યારે આગ લાગવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી. આ હેલિકોપ્ટર રાજ્ય સરકારની માલિકીનું હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હેલિકોપ્ટર રાત્રે અંદાજે 9.10 કલાકે એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું મોત થયું છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.