ભારતમાં તાજેતરમાં જાહેર થયેલા એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 71 ટકા લોકો આરોગ્યપ્રદ ભોજન ખરીદવા માટે અસમર્થ છે. આ ઉપરાંત પોષણક્ષમ આહાર નહીં મળવાથી દર વર્ષે 17 લાખ જેટલા લોકો તેના સંબંધિત બીમારીથી મૃત્યુ પામ છે. આ રીપોર્ટ નવી દિલ્હીસ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગ્લોબલ ન્યુટ્રીશન રીપોર્ટ અનુસાર વિશ્વમાં આરોગ્યપ્રદ આહાર ખરીદવા માટે અસમર્થ લોકોનું પ્રમાણ 42 ટકા જેટલું છે, જે ભારતમાં 71 ટકા નોંધાયું છે.
આરોગ્યપ્રદ આહાર નહીં મળવાથી શ્વાસ, ડાયાબીટીસ, હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરવો પડે છે અને તેના કારણે લોકો મૃત્યુ પામે છે. સરેરાશ ભારતીયોમાં ફળો, શાકભાજી, સુકોમેવો અને અનાજની ઉણપ જોવા મળે છે સામે માછલીઓ, દૂધ અને માંસનો આહાર સરેરાશ જેટલો જ જોવા મળે છે. જયારે વ્યક્તિની માસિક આવક કરતા આહારની કિંમત 63 ટકા કરતા વધારે ઉપર હોય ત્યારે ખાદ્યચીજ ખરીદશક્તિની બહાર છે એમ કહેવાય અથવા તો તેને ખરીદવા વ્યક્તિ અક્ષમ કે અસમર્થ છે એમ કહેવાય. આ વ્યાખ્યા યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન નામની સંસ્થાએ આપી છે.
વીસ વર્ષથી ઉપરના વયસ્કો રોજના સરેરાશ 200 ગ્રામ સામે માત્ર 35.8 ગ્રામ જેટલા જ ફ્રુટનો ઉપયોગ કરે છે. શાકભાજીમાં આ પ્રમાણ જરૂરી 300 ગ્રામ સામે માત્ર 168.7 ગ્રામ જોવા મળ્યું છે. વ્યક્તિ માટે જરૂરી કઠોળની માત્રા કરતા 24.9 ગ્રામ કે 25 ટકા જ નોંધાયેલી છે. રિપોર્ટ અનુસાર આ દિશમાં ચોક્કસ કામગીરી થઇ રહી હોવા છતાં ભારતમાં આહાર આરોગ્યપ્રદ બની રહ્યો નથી. આ ઉપરાંત, પર્યાવરણ બદલાઈ રહ્યું છે એટલે દેશમાં કુપોષણની સમસ્યા જોવા મળી રહી છે.