(Photo by Julian Finney/Getty Images)

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં બુધવારે ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ટી20 વર્લ્ડ કપ માટે અક્ષર પટેલને હટાવીને તેના સ્થાને શાર્દુલ ઠાકુરને 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે અક્ષર પટેલને શ્રૈયસ ઐય્યર અને દીપક ચહર સાથેના રિઝર્વ પ્લેયર્સની કેટેગરીમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. ટી20 વર્લ્ડકપની 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં યોજાશે.

ઓલ ઈન્ડિયા સિલેક્શન કમિટી અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાર્દુલ ઠાકુરે છેલ્લે આ વર્ષે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે ટી20 મેચ રમી હતી અને આ મેચમાં તેણે સાબિત કરી દીધું હતું કે, ટી20 ફોર્મેટ માટે તે ઓલ રાઉન્ડર ઓપ્શન છે. ગત મહિને ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં તેની બે ફિફ્ટીએ ભારતીય ટીમને જીત માટે મદદ કરી હતી. જે બાદ તેની બેટિંગના પણ એક્સપર્ટે ખુબ વખણ કર્યાં હતા

આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન પણ ખુબ જ સારું રહ્યું છે. આઈપીએલ ફાઈનલમાં પહોંચેલી સીએસકે માટે શાર્દુલ ઠાકુરે 15 મેચોમાં 8.75ની ઈકોનોમીથી 18 વિકેટ ઝડપી છે. જો કે, આ વચ્ચે અક્ષર પટેલને સ્ટેન્ડ બાય લિસ્ટમાં સામેલ કરાયા બાદ ભારત પાસે ટીમમાં હવે ચાર સ્પિનર હશે, જેમાં રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, રાહુલ ચહર અને વરુણ સીવીનો સમાવેશ થાય છે.

15 સભ્યોની ભારતીય ટીમ

15 સભ્યોની ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સુર્યાકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર.અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.