John Marr with the Duke of Kent at the Bhavan

ભવનના સ્થાપક ટ્રસ્ટી અને વાઇસ ચેરમેન, બ્રિટિશ ઈન્ડોલોજિસ્ટ, લેખક અને લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં ફેકલ્ટીના ભૂતપૂર્વ સભ્ય પદ્મશ્રી ડૉ. જોન મારનું 19મી મેના રોજ નિધન થયું હતું. ભવનના ચેરમેન શ્રી જોગિન્દર સિંઘ સેંગર અને ડાયરેક્ટર ડૉ. એમ. નંદકુમાર અને સમગ્ર ભવનની ટીમ તેમના અમૂલ્ય યોગદાન બદલ શ્રધ્ધાંજલિ અર્પી હતી.

કર્ણાટક સંગીત અને તમિલ સાહિત્યના નિષ્ણાત, ડૉ. મારનું ભારતીય સંસ્કૃતિનું જ્ઞાનકોશીય જ્ઞાન અને યુવા વિદ્યાર્થીઓનું સમર્થન અદ્ભૂત હતા. તેઓ ભવનના મલ્ટી-સબજેક્ટ ડિપ્લોમા પ્રોગ્રામની લાંબા સમયથી ઓળખ અને અપીલ માટે મૂળભૂત હતા.

ભારતીય મ્યુઝિકલ ટ્યુનિંગ થિયરી, ભારતીય મંદિરોના આર્કિટેક્ચર, અસંખ્ય ભારતીય નૃત્ય સ્વરૂપોના લાંબા ઈતિહાસ વિષે ડૉ. માર સારી એવી બૌદ્ધિક સમજ ધરવતા હતા અને તેમાં ઉત્સાહી સ્થાનિક રંગનો સ્વાદ ઉમેરવામાં સક્ષમ હતા.

પ્રતિષ્ઠિત ભારતીય કલાકાર તરીકે તેમણે 4000 માઈલ લાંબી ફેમિલી રોડ ટ્રીપ કરી હતી. શિક્ષણમાં તેમના યોગદાન બદલ ડૉ. મારને 2009માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ભવનમાં દરેક વ્યક્તિને તેમની સાથે મળવાનું, કામ કરવાનું અને શીખવાનું સન્માન મળ્યું છે. ડૉ. મારને તેમની અજોડ ભાવના અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના અસંતુષ્ટ જુસ્સા માટે ભવન પોતાના 50 વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે વખતો વખત તેમની ખૂબ જ યાદ આવશે.