કચ્છ જિલ્લામાં આવેલા ગુજરાતના મહત્ત્વના કંડલા બંદર અને દિલ્હી વચ્ચે સ્પાઇસજેટ દ્વારા ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટ બપોરે 2:55 કલાકે કંડલા એરપોર્ટ પર આવશે અને બપોરે 3:25 કલાકે દિલ્હી જવા રવાના થશે. આ ફ્લાઈટમાં 78 બેઠક ઉપલબ્ધ હશે. કચ્છ જિલ્લામાંથી દિલ્હીને સીધી રીતે જોડતી આ પ્રથમ ફ્લાઇટનું દરરોજ સંચાલન થશે.