Karthik is becoming Akshay's alternative
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડના નવી પેઢીમાં કાર્તિક આર્યને પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું છે. તેણે એક પછી એક હિટ ફિલ્મો આપીને મોખરાના કલાકારોની યાદીમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. આમ છતાં કરણ જોહરની નવી ફિલ્મમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

સૂત્રો કહે છે કે, કાર્તિકને ધર્મા પ્રોડકશનને પોતાની ફિલ્મ દોસ્તાના ટુમાંથી હકાલપટ્ટી કરી છે. અને ખાસ વાત તો એ છે કે, કાર્તિક આર્યને આ ફિલ્મનું ૨૦ દિવસનું શૂટિંગ પણ કર્યું હતું. ચર્ચા મુજબ, કરણ જોહરના ધર્મા પ્રોડકશનમાંથી કાર્તિક આર્યનને કાયમ માટે હાંકી કાઢવામાં આવ્યો છે. એટલે કે હવે પછી ભવિષ્યમાં કાર્તિક આર્યન ધર્મા પ્રોડકશનની કોઇ પણ ફિલ્મમાં કામ નહીં કરી શકે. સૂત્રો કહે છે કે, આ સ્થિતિ માટે કાર્તિક પોતે જવાબદાર છે. દોસ્તાના ટુ ફિલ્મ સાથે જોડાયેલા લોકોના અનુસાર, કાર્તિકની વારંવાર કહેવા છતાં પણ તે દોસ્તાના ટુ માટે તારીખો આપતો નહોતો. ઉપરાંત પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે તે મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવતો હતો. આથી ધર્મા પ્રોડકશને આ નિર્ણય લીધો છે. જોકે કાર્તિકના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને કરણ જોહરનો નવો શિકાર ગણાવ્યો છે.