Arvind Kejriwal
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ . (PTI Photo)

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના પોઝિટિવ આવ્યા છે. કેજરીવાલે મંગળવારે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ હળવા લક્ષણ ધરાવે છે. મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. હું ઘરમાં જ આઈસોલેટ થઈ ગયો છું. જે લોકો છેલ્લાં થોડા સમયમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે જાતે જ પોતાને આઈસોલેટ કરે અને કોરોનાનો ટેસ્ટ પણ કરાવે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આ ટ્વિટ પર દિલ્હીના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કમેન્ટ કરીને તેમને વહેલીતકે સાજા થઈ જવાની શુભકામના પાઠવી હતી.