Starmer thanks Asians for making Britain better
(Photo by Stefan Rousseau - WPA Pool/Getty Images)

યુકેમાં વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટારમર સોમવારે લંડનમાં કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે ગયા હતા. પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર તેમણે આ મુલાકાતની તસવીરો રજૂ કરી સાથે સાથે એવો સંદેશો પણ મુક્યો હતો કે, ગયા વર્ષે શ્રીજી ચરણ પામેલા આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજીને મેં અંજલિ આપી હતી. યુકેમાં વેક્સિનેશન કેન્દ્ર તરીકે કોઈ ધર્મસ્થાનનો ઉપયોગ કરાયો હોય તેવું આ સૌપ્રથમ મંદિર હતું અને લેબર નેતાએ લોકોને વેક્સિન લેવામાં પ્રોત્સાહિત કરવાના ધાર્મિક અગ્રણીઓ, સંતોના નેતૃત્ત્વના જ્વલંત ઉદાહરણ તરીકે ગણાવ્યું હતું.

લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટારમરે લંડનમાં 22 માર્ચ 2021ના રોજ કિંગ્સબરીમાં એક લટાર દરમિયાન સ્થાનિક શોપકીપર્સ અને બિઝનેસ માલિકો સાથે મુલાકાત કરી હતી. (Photo by Stefan Rousseau – WPA Pool/Getty Images)