અમદાવાદમાં 16 ઓક્ટોબરના દિવસે સોનાનો આ વેપારી રૂ.1.25 કરોડનો સોનાનો માલ લઈને નરોડા વિસ્તારમાં આવ્યા હતા. એ સમયે તેમણે લઘુશંકા માટે એક્ટિવા કેનાલ પાસે ઊભી રાખી હતી. ત્યારે તેમનો નોકર પણ સાથે જ હતો. એ જ સમયે આ નોકર સોનું ભરેલા બે થેલા લઈને રફૂચક્કર થઈ ગયો હતો. આ ઘટના પછી બે દિવસ સુધી જ્વેલર્સના એ વેપારીએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. આખરે કંટાળીને વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં બંને નોકર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.