Suicide of Mahant Raj Bharti Bapu of Bharti Ashram in Junagadh
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ મંગળવારે કથિત રીતે જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો હતો. થોડા દિવસ પહેલાં તેમના કથિત વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતાં.

ખડીયા ગામ સ્થિત પોતાની જ વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ. સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વાયરલ થયેલા કથિત વીડિયોને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
તાજેતરમાં વાયરલ થયેલા કથિત વીડિયોમાં રાજ ભારતી બાપુ દારૂ પીતા દેખાયા હતાં. તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં. તેનાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ચાલુ થઈ હતી. શ્રી ખેતલિયાદાદા આશ્રમ મંદિર જે જુનાગઢ શહેરના ઝાંઝરડા ગામમાં આવેલ છે, જે એક પવિત્ર નાગદેવતાનું મંદિર છે.

LEAVE A REPLY

4 × one =