(ANI Photo)

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2019માં જ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. હવે તેઓ આ નવા વર્ષે લગ્ન કરી લેશે તેવી ખૂબ ચર્ચા થઇ રહી છે. મલાઇકા અને અર્જુન વચ્ચે સમય જતાં રિલેશન વધુ મજબૂત બન્યા છે. તાજેતરમાં મલાઈકા અને અર્જુનના માલદીવ વેકેશનની તસવીરો વાઇરલ થઈ હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. જાણીતા સેલીબ્રિટી જ્યોતિષી જગન્નાથ ગુરૂજીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બંને લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ કહે છે કે આ સ્ટાર કપલ વર્ષ 2022માં લગ્ન કરી શકે છે.

જગન્નાથ ગુરૂજી કહે છે કે અર્જુન કપૂર ભાવનાત્મક જીવનસાથી છે, જ્યારે મલાઈકા અરોરા પ્રેકિટકલ છે. તે કહે છે કે આ બંનેમાંથી કોઈનું મન નબળું નથી. આ કારણોસર, ઘણી ટીકાઓ અને સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ તેમના સંબંધો ઘણા સારા છે. તાજેતરમાં જ એક શો દરમિયાન મલાઈકા અરોરાએ કહ્યું હતું કે અર્જુન કપૂર એકમાત્ર એવી વ્યકિત છે જે તેને સારી રીતે ઓળખે છે.