ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ રવિવારે ચોથા દિવસની રમતને અંતે રોમાંચક બની હતી. ભારતે આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમને 284 રનનો લક્ષ્યાંક આપ્યો છે(PTI Photo/Arun Sharma)

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ રવિવારે ચોથા દિવસની રમતને અંતે રોમાંચક બની હતી. ભારતે આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમને 284 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે બીજી ઇન્ગિંમાં સાત વિકેટે 234 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો.

આ ટાર્ગેટનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડની ચાર રનમાં એક વિકેટ પડી હતી. રવિન્દ્રન અશ્વિનને ન્યૂઝિલેન્ડના ઓપનર વિલ યંગને આઉટ કર્યો હતો.

ભારતે બીજી ઇનિંગમાં 234 રન સાથે દાવ ડિક્લેર કર્યો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી મયંક અગ્રવાલે 17 રન, સુભમન ગીલે 1 રન, ચેતેશ્વર પૂજારાએ 22 રન અને અજિન્કય રહાણેએ 4 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે 65 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા ઝીરો રન આઉટ થયો હતો. રવિન્દ્રન અશ્વિનને 32 રન અને વૃદ્ધિમાન સહાએ 61 રન કર્યા હતા. અક્ષ પટેલ 28 રનને નોટ રહ્યો હતો.

પ્રથમ ઇનિંગમાં ભારતને 49 રનની સરસાઈ મળી હતી. પ્રથમ દાવમાં ભારતના 345 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાયો હતો. ભારતીય સ્પિનર્સના તરખાટને પગલે ભારતની ટીમને આ મહત્ત્વની સરસાઈ મળી હતી. અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિને ત્રણ, જાડેજાએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ લીધી હતી.

કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કરનાર શ્રેયસ ઐયરે ઈતિહાસ સર્જયો હતો .ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઈનિંગમાં સદી ફટાકનાર ઐયરે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર તે પહેલો ભારતીય ક્રિકેટર અને દુનિયાનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો છે. શ્રેયસે પહેલી ઈનિંગમાં 105 રન અને બીજી ઈનિંગમાં 65 રન ફટકાર્યા હતા.શ્રેયસની અડધી સદીના પગલે ભારત બીજી ઈનિંગમાં લીડ સાથે 200 રનને પાર કરી શક્યુ હતુ. 26 વર્ષીય શ્રેયસે બીજી ઈનિંગમાં અશ્વીન સાથે 52 રન અને સહા સાથે 64 રનની પાર્ટનરશીપ કરી હતી.