Mobile phones banned in the famous Mahakaleshwar temple
(ANI Photo)

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના મુલાકાતીઓને સુરક્ષાના કારણોસર 20 ડિસેમ્બરથી આ પરિસરમાં તેમના મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં, એમ એક વરિષ્ઠ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું. 

ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર આશિષ સિંહની અધ્યક્ષતામાં સોમવારે યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ આશિષ સિંહે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર 20 ડિસેમ્બરથી મંદિરની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. હોટેલો અને લોજિંગના સ્થળોને આ માહિતી મૂકવાનો આદેશ અપાયો છે, જેથી કરીને ભક્તો મોબાઈલ ફોન વિના મંદિરમાં આવી શકે. 

મહાકાલેશ્વર મંદિરનો દેશના 12 જ્યોતિર્લિંગોમાં સમાવેશ થાય છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીએ અન્ય ઘણા નિર્ણયો પણ લીધા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે શહેરમાં લક્ઝરી એરકન્ડિશન્ડ ઈલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. 

તમામ મંદિરો અને પ્રવાસન સ્થળોને આવરી લેતા રૂટ પર બસો ચલાવવામાં આવશે, જેના માટે મુલાકાતીઓએ માત્ર એક જ ટિકિટ ખરીદવી પડશે. ભક્તોની મદદ માટે 50 સમાંતર ફોન લાઈન સાથે ટૂંક સમયમાં કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. 

 

LEAVE A REPLY

twenty − one =