નવસારીમાં શુક્રવારે વડાપ્રધાન મોદીનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. (ANI Photo/ PIB)

ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવસારી જિલ્લાના ખૂડવેલથી આ જિલ્લા માટે  કુલ રૂ. 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતા. મોદીએ રૂ.1510 કરોડની પાણીની યોજન તથા માર્ગ મકાન વિભાગના રૂ.98 કરોડ, આરોગ્ય વિભાગના રૂ.542 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકાર્પણની વાત કરવામાં આવે તો રૂ.901 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં રૂ.749 કરોડની પાણીની યોજના, રૂ.85 કરોડ ઊર્જા, રૂ.46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ કર્યું હતું.