Now the sequel of Salman-Aamir's comedy film will be made
(Photo by STRDEL/AFP via Getty Images)
બોલીવૂડના પીઢ અભિનેતાઓ આમિર ખાન અને સલમાન ખાનની કોમેડી ફિલ્મ અંદાઝ અપના અપનાની સિક્વલ બનવી તેવી ચર્ચા ફિલ્મ રસીકો લાંબા સમયથી કરે છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ અગાઉ આ બાબતે કંઇ વિચાર્યું નહોતું. જોકે, તેઓ હવે આ ફિલ્મની સિક્વલ કહી શકાય તેવી ફિલ્મ અદા અપની અપની… બનાવવાની તૈયારી કરી રહ્યા છે. દર્શકોને અંદાજ અપના અપના….કેટલાક રસપ્રદ દૃશ્યો અને કોમેડી હજુ પણ યાદ છે

 

રાજકુમાર સંતોષીએ ઘાયલ, દામિની જેવી ફિલ્મોનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. તેમણે જણાયું હતું કે, સિક્વલ કે રીમેક બનાવવાની ઈચ્છા હોત તો ફિર ઘાયલ, ઘાયલ એક બાર ઔર, દામિની ફિર ચમકેગી જેવા ટાઈટલ ઘણાં સમય પહેલાં બની ચૂક્યા હતા. મેં શું કર્યું છે તે કહેવાની જરૂર નથી, પરંતુ હું હંમેશા કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવનાર ફિલ્મમેકર છું. તેથી આગામી ફિલ્મને અંદાઝ અપના અપનાની સિક્વલ કહેવાના બદલે તેના જેવી મ્યૂઝિકલ કોમેડી ફિલ્મ કહેવાનું પસંદ કરીશ.

 

અંદાઝ અપના અપનામાં આમિર અને સલમાન ઉપરાંત તેમાં રવિના ટંડન અને કરિશ્મા કપૂર પણ હતા. જ્યારે અદા અપની અપની…ફિલ્મમાં નવી પેઢીના યુવાન કલાકારોને તક આપવામાં આવશે.આ અંગે રાજકુમાર સંતોષી મોખરાના યુવા કલાકારો સાથે ચર્ચા કરી રહ્યા છે. રાજકુમાર સંતોષી હાલ ગાંધી ગોડ્સેઃ એક યુદ્ધ ફિલ્મના કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં ગાંધીજીનું નિરુપણ રાજકીય વિવાદનું સ્વરૂપ લઈ રહ્યું છે ત્યારે તેમણે આ સિક્વલ ફિલ્મની તૈયારી શરૂ કરી છે.કહેવાય છે કે, ફિલ્મની સ્ટોરી-સ્ક્રિપ્ટ નક્કી થઇ ચુકી છે અને થોડા સમય પછી કલાકારોની જાહેરાત કરવામાં આવશે.

LEAVE A REPLY

12 + three =