Third Remake Of Aashiqui
(Photo by STRDEL/AFP via Getty Images)

1990ના દાયકાની મ્યુઝિકલ સુપરહિટ આશિકી સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવાની જાહેરાત નિર્માતાઓ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકા ભજવવા માટે સાઇન કરવામાં આવ્યો છે. કાર્તિકની કરીઅર અત્યારે સડસડાટ રીતે આગળ વધી રહી છે. થોડા દિવસ અગાઉ જ તેની ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનું શૂટિંગ શરૂ થયું છે.

આશિકી પ્રથમવાર 1990માં બની હતી. મહેશ ભટ્ટનાં દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો રાહુલ રોય અને અનુ અગ્રવાલ હતા, આ તદ્દન નબળી ફિલ્મનું મ્યુઝિક સુપરહિટ થયું હતું અને તેનાથી નદીમ-શ્રવણ સંગીતકાર તરીકે તથા કુમાર શાનુ ગાયક તરીકે ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. જોકે, રાહુલ રોય અને અનુ અગ્રવાલ અત્યારે ક્યાં છે અને શું કરે છે તેની કોઇને પણ કદાચ ખબર નહીં હોય. આશિકીની બીજી રીમેક 2013માં બની હતી. શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું હતું. તે ફિલ્મમાં જીત ગાંગુલી, મિથુન અને અંકિત તિવારીનું મ્યુઝિક ફરી સુપરહિટ પુરવાર થયું હતું.

હવે ત્રીજી આશિકીમાં એવું લોકપ્રિય સંગીત આપવાની જવાબદારી પ્રીતમને સોંપાઈ છે. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બસુ કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા વર્ષોથી બોલીવૂડમાં ગીત-સંગીત આધારિત ફિલ્મોનું નિર્માણ ઓછું થઇ ગયું છે.

LEAVE A REPLY

ten − 9 =