Order of inquiry into the forcible entry of Muslims into the Trimbakeshwar temple
(istockphoto.com)

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા પ્રખ્યાત ત્ર્યંબકેશ્વર મંદિરમાં શનિવારે મુસ્લિમોએ કથિત રીતે બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મંદિરના સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તેઓ સફળ થયા ન હતા. સરકારે મંગળવારે આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતા.

આ પ્રખ્યાત મંદિરમાં હિંદુઓ સિવાય કોઈ પણ ધર્મના લોકોને પ્રવેશની છૂટ નથી. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને કરોડો લોકોનો આસ્થા જોડાયેલી છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભૂતકાળમાં કેટલાક લોકોના ટોળાએ બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગયા વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે, સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસના આદેશ આપ્યા હતો.

1 COMMENT

LEAVE A REPLY

15 − 1 =