Barry Gardiner, Shadow secretary for international trade (Photo by Christopher Furlong/Getty Images)

બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડીનરે શ્રીમતી પાર્વતીબેન સોલંકીને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે ‘’વિશ્વની નજર સ્વર્ગસ્થ રાણીના મૃત્યુ પર ટકેલી છે, તેમ સોલંકી પરિવારનું ધ્યાન અન્ય અસાધારણ માતૃશક્તિ પાર્વતીબેન સોલંકીના દુઃખદ અવસાન પર કેન્દ્રિત થયું છે. તેઓ લાગલગાટ 60 વર્ષ સુધી પરિવારના માર્ગદર્શક રહ્યાં છે. હું તેમને 25 વર્ષથી વ્યક્તિગત રીતે ઓળખું છું, જેમાં ત્રણ બાબતો હંમેશા બહાર આવી હતી, તેમના પતિ રામ સાથેનો ઊંડો પ્રેમ; તેમની નિર્ણાયકતાની ક્ષમતા અને તેમનો દૃઢ નિશ્ચય, જેને ક્યારેય ઓછો અંદાજી શકાય નહિં.’’

‘’તેમના પ્રતિ અસાધારણ આદર તેમના બાળકો અને પૌત્રો દ્વારા રાખવામાં આવતો હતો. પ્રસંગોપાત મને ડીનર માટે તેમની બાજુમાં બેસવાનો લહાવો મળ્યો હતો અને આ વર્ષો દરમિયાન મને ખબર પડી હતી કે વાતચીતના બે વિષયો હંમેશા આવકાર્ય હતા: તેમના પૌત્રો વિશેની વાતો અને કેવી રીતે થોડો સ્વીટ વ્હાઇટ વાઇન મેળવવો. એશિયન મીડિયા ગ્રૂપના બિઝનેસ સામ્રાજ્યની વાર્તા અસાધારણ છે, પરંતુ તે આ અદ્ભુત મહિલાની સતત મહેનત અને પ્રેરણા વગર અસ્તિત્વમાં આવી ન હોત.’’

LEAVE A REPLY

3 × one =