'We only want PM Modi': Pakistani youth's video goes viral in India
. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. વડાપ્રધાન મોદી 17 એપ્રિલના ગીર સોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના હતા અને સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાના હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમ હવે રદ થયો હતો.

મોદીની જગ્યાએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવશે અને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. 17 એપ્રિલ આસપાસનો સમય કર્ણાટકની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસો હશે. તેથી ઉમેદવારોની પસંદગીમાં વડાપ્રધાન મોદી પણ તેના પર નજર રાખતા હોય છે. આ સાથે અન્ય એક કારણ એ પણ છે કે ફોરેન ડેલીગેશન સાથે વડાપ્રધાનની બેઠક યોજાવા જઇ રહી છે.

LEAVE A REPLY

17 − 7 =