Rahane's return to the Indian team for the World Test Championship final
(ANI Photo/

ઈંગ્લેન્ડના ઓવલ ખાતે આગામી તા. 7 થી 11 જુન સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત સોમવારે (24 એપ્રિલ) કરાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ મેચમાં અનુભવી ટેસ્ટ બેટ્સમેન અજિંક્ય રહાણેને પાછો બોલાવાયો છે, તો સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને કુલદીપ યાદવને તક મળી નથી. શ્રેયસ ઐયર પીઠની ઈજા અને સર્જરીના કારણે રમી શકે તેમ નહીં હોવાથી તેના સ્થાને રહાણેને તક મળી હોવાનું સમજાય છે. રહાણે હાલમાં રમાઈ રહેલી આઈપીએલમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે.  

ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. ગયા વર્ષે ફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. એ પછી, જો કે એ પછી ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર દેખાવ કર્યો હતો. પોઈન્ટ ટેબલમાં તે ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે.

ભારતીય ટીમઃ  

રોહિત શર્મા (કેપ્ટન)શુભમન ગિલચેતેશ્વર પૂજારાવિરાટ કોહલીઅજિંક્ય રહાણેકે. એલ. રાહુલકે. એસ. ભરત (વિકેટકીપર)રવિચંદ્રન અશ્વિનરવિન્દ્ર જાડેજાઅક્ષર પટેલશાર્દુલ ઠાકુરમોહમ્મદ શમીમોહમ્મદ સિરાજઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.

LEAVE A REPLY

thirteen − nine =