Robbers attack two Indian-origin dairy stores in New Zealand
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રાજકોટમાં સંતાનોની કસ્ટડી બાબતે ચાલતા કોર્ટકેસના મનદુઃખમાં હત્યાકાંડ સર્જાતા 12 કલાકમાં એક જ પરિવારના 5 સભ્યનાં મોત થયાં હતા. ગુરુવારે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

આ ઘટના બાદ પતિ ઈમરાન પઠાણે બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. શુક્રવારે ત્રણેયનાં કરુણ મોત નીપજ્યાં છે. આમ જ એક જ પરિવારના 5 સભ્યનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.