Rani Mukherjee became a writer
(Photo by SEBASTIAN D'SOUZA/AFP via Getty Images)

ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે સંસાર શરૂ કર્યા પછી રાણી મુખરજી હવે પોતાની આત્મકથા લખી રહી છે. આ આત્મકથા આવતાં વર્ષે માર્ચમાં તેના જન્મદિને પ્રકાશિત કરવાનું આયોજન છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી અલવિદા ના કહેના’ તથા ‘વીર ઝારા’ જેવી ફિલ્મોમાં અભિનય આપીને રાણીએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.તેણે બોલીવૂડનાં સૌથી મોટાં બેનર ગણાતાં યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે ખૂબ જ ગુપ્ત ઈટલીમાં લગ્ન કર્યાં હતાં તેની પણ બહુ ચર્ચા થઈ હતી. જોકે હવે તે એક બાળકીની માતા પણ છે.

રાણીની બંટી ઔર બબલી ફિલ્મ બહુ સફળ ગઈ હતી પરંતુ તેની સિકવલ ફિલ્મ સુપર ફ્લોપ ગઈ હતી.
રાણી સાથે અનેક વિવાદો પણ જોડાયેલા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલાચાલી તથા ગોવિંદા જેવા કલાકારો સાથે તેનું નામ જોડાયેલું હોવા સહિતના કિસ્સા આ પુસ્તકમાં સમાવાશે કે કેમ તે અંગેની બોલીવૂડમાં અટકળો થઇ રહી છે. જોકે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે ખૂબ પ્રમાણિક રીતે આ આત્મકથા લખી રહી છે અને તેમાં તેની પારદર્શક કારકિર્દી રજૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

three × 1 =