Ranveer Singh and Janhvi's names discussed in Tezaab sequel
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
બોલીવૂડના પીઢ કલાકારો અનિલ કપૂર અને વિશેષમાં તો માધુરી દીક્ષિતની કારકિર્દીની સીમાચિહ્નરૂપ ફિલ્મ ‘તેજાબ’ની સિક્વલ બની રહી છે. તેમાં અનિલના રોલમાં રણવીર અને માધુરીની ભૂમિકા માટે જાહ્નવી કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ સિક્વલનું આયોજન શરૂ થયું ત્યારે કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની જોડી નક્કી થઈ હતી. જોકે, હવે કાસ્ટિંગમાં બહુ મોટા પાયે ફેરફારો થયા છે.

 

ફિલ્મના બાકીના કલાકારો અંગે પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. 1988માં રીલીઝ થયેલી તેજાબને લીધે અનિલ કપૂર અને માધુરની સુપરહિટ જોડી સ્થાપિત થઈ હતી. તે પછી બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેજાબનાં એક દો તીન ચાર પાંચ છે….ગીતથી માધુરી રાતોરાત હિટ થઇ ગઇ હતી.

 

કહેવાય છે કે રણવીર સિંહ સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી હવે એક સુપર હિટ ફિલ્મની શોધમાં છે. બીજી તરફ જાહ્નવીને પણ સ્ટાર કિડ તરીકે અનેક તક મળવા છતાં તેની કારકિર્દી હજુ સુધી જામી નથી.

LEAVE A REPLY

one × three =