(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

રિતિક રોશનને એક સમયે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે સારી મિત્રતા હતી તેવું કહેવાતું હતું. એક નાની ઘટનામાં તે બંનેના વર્તને રિતિકનું મન દુભાવ્યું હોવાનું ચર્ચાય છે. રિતિકે જાહેરમાં પોતાની નારાજગી ક્યારેય વ્યક્ત કરી નથી, પરંતુ સલમાન અને શાહરૂખ સાથે ફિલ્મ નહીં કરવાનો તેણે નિર્ણય લીધો છે. આદિત્ય ચોપરા મેગા બજેટ સ્પાય ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે સલમાન અને શાહરૂખ જોવા મળશે. સલમાન ખાન ટાઈગરના રોલમાં અને શાહરૂખ પઠાણના કેરેક્ટરમાં જોવા મળશે. તેમાં સલમાન અને શાહરૂખ સ્ક્રિન પર સાથે જોવા મળશે, પરંતુ રિતિક સાથે તેઓ કોઈ સીનમાં જોવા નહીં મળે. આ નિર્ણયનું કારણ ઘણું જૂનું છે અને રિતિક સાથે બનેલી ઘટનાઓ જવાબદાર છે.

રિતિકને લાંબા સમયથી શાહરૂખ અને સલમાન સાથે ફાવતું નથી. જાહેરમાં ક્યારેય કોઈ આ બાબતે બોલતું નથી, તેમની વચ્ચેના મનભેદ એટલા ગંભીર છે કે, ત્રણેયને સાથે ફિલ્મ પર જોવાનું ખૂબ જ મુશ્કેલ છે. શાહરૂખે રિતિક અને સલમાન બંને સાથે કામ કર્યું છે. રિતિક અને શાહરૂખની ફિલ્મ કભી ખુશી કભી ગમ 2001માં રિલિઝ થઈ હતી. પછી બંને વચ્ચે અંતર વધી ગયું હતું. સૂત્રો કહે છે કે, જણાવ્યા મુજબ, વીસેક વર્ષ પહેલાં એક એવોર્ડ ફંક્શનમાં સૈફ અલી ખાન અને શાહરૂખ ખાને ભેગા મળીને રિતિકની ફિલ્મ કોઈ મિલ ગયા (2003)ની મજાક ઊડાવી હતી. સૈફ અને શાહરૂખ કોઈ મિલ ગયાના કેરેક્ટર જાદુનો ડ્રેસ પહેરીને સ્ટેજ પર આવી ગયા હતા અને કહ્યું હતું કે, ફિલ્મનો અસલી હીરો તો જાદુ છે. રિતિક સેકન્ડ ક્લાસ એક્ટર છે. રિતિકે કોઈ હોબાળો કર્યો નહીં, પરંતુ મનમાં સમસમી ગયો હતો.
શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમના એક ગીતમાં બોલિવૂડના ઘણાં સ્ટાર્સ જોવા મળ્યા હતા. ડાયરેક્ટર ફરાહ ખાને તે ગીત માટે રિતિકને વિનંતી કરી હતી. જોકે, જોધા અકબરના શૂટિંગમાં બિઝી હોવાનું કારણ આપીને રિતિકે ના કહી હતી. તે એવોર્ડ સમારંભ પછી બાદ રિતિકે ક્યારેય શાહરૂખ સાથે કામ કર્યું નથી. તેથી તેમના સંબંધ અગાઉ ન હોવાનું બોલીવૂડમાં કહેવાય છે.

સલમાન ખાન અને રિતિક રોશન વચ્ચેનું મનદુખ 2010ની ઘટના છે. તે સમયે રિતિકની ફિલ્મ ગુજારિશ આવી હતી. તેમાં રિતિકની સાથે લીડ રોલમાં સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય પણ હતી. સલમાને આ ફિલ્મની રિલિઝના સમયે જણાવ્યું હતું કે, મુદ્દા આધારિત ફિલ્મોને જોવા માટે કોઈ કૂતરું પણ નહીં જાય. ઈચ્છા મૃત્યુ જેવા ગંભીર વિષય પર બનેલી ફિલ્મ બાબતે સલમાને આ કોમેન્ટ કરી હોવાનું કહેવાતું હતું. ફિલ્મના પ્રોડ્યુસર ભણસાલી અને રિતિકે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના પછી સલમાન સાથેની ફ્રેન્ડશિપમાં પણ તિરાડ પડી ગઈ. ફિલ્મ મેકર આદિત્ય ચોપરાને ત્રણેય સ્ટાર્સ સાથે સારા સંબંધ છે અને તેમના પ્રયાસોથી પહેલી વખત આ ત્રણ કોઈ ફિલ્મમાં જોવા મળશે.