ભારતમાં જન્મેલા અને ડડલી યુકે ખાતે રહેતા સ્વ. શાન્તાબેન કાનજીલાલ પટેલનું તા. 14-06-2022 મંગળવારના રોજ અવસાન થયું છે. શાન્તાબેન 1959માં સ્ટીમર દ્વારા ચાર બાળકો લઇ લંડન આવ્યા હતા. મા-બાપના સારા સંસ્કારો અને સખત મહેનત કરી તેમણે પરિવારને સંપન્ન બનાવ્યો હતો. તેમણે દેશ વિદેશમાં યોગ્ય સ્થળે ઉદાર સખાવત કરી હતી. પુત્ર ડહ્યુંભાઇ પેથાણકર અને પરિવારે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.