ગરવી ગુજરાત – એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશ સોલંકી તથા એક્ઝીક્યુટિવ એડિટર શ્રી શૌલેષ સોલંકીએ ગુરૂહરી સંતભગવંત પૂ. સાહેબજીની મંગળવારે સવારે વેસ્ટ લંડનના ડેન્હામ સ્થિત અનુપમ મિશન ખાતે મુલાકાત લીધી હતી. સાથે નાસ્તો કર્યા બાદ આશિર્વાદ આપી પૂ. સાહેબજીએ મિશન દ્વારા નિર્મિત સ્મશાનગૃહની યોજનાઓ વિશે જણાવી ગરવી ગુજરાતના સ્થાપક સ્વ. શ્રી રમણિકલાલ સોલંકીના પત્રકારત્વ અને સામાજીક ક્ષેત્રે કરેલા સારા કાર્યોને યાદ કર્યા હતા. શ્રી રમણિકલાલ સોલંકીના 91મા જન્મદિવસે (12 જુલાઇ 1931) તેમના અત્માની શાંતિ અર્થે  પૂ. સાહેબજીએ પ્રાર્થના પણ કરી હતી. યુકેમાં હિંદુ સ્મશાનગૃહ બનાવાય તેવી શ્રી રમણિકલાલ સોલંકીની ઈચ્છાને અનુપમ મિશન પૂરી કરી રહ્યું છે તે માટે પૂ. સાહેબજીને અભિનંદન આપ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી બેસેલા શ્રી શૈલેશ સોલંકી, પૂ. સાહેબજી, શ્રી કલ્પેશભાઇ સોલંકી તથા શ્રી જયંતિભાઇ સોલંકી અને પાછળ ઉભા રહેલા ડાબેથી શ્રી સતીશભાઇ ચતવાણી અને શાંતિદાદા નજરે પડે છે.