પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરતમાં એક મહિના પહેલા વાહન દલાલે કરેલી આત્મહત્યાના કેસમાં રવિવારે ચોંકાવનારો ખુલાસો થયો હતા. કોરોના લોકડાઉનને દરમિયાન વોચમેનના પ્રેમમાં પડેલી પત્નીના ત્રાસને કારમે આ વાહન દલાલે આત્મહત્યા કરી હતી. આ કેસમાં પતિને આત્મહત્યા માટે દબાણ કરવાના ગુનામાં પત્ની અને વોચમેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આપેલી માહિતી મુજબ 14 ડિસેમ્બરની રાત્રે સુરતના પાલ આરટીઓ પાસે 11 માળની બિલ્ડિંગ પરથી કૂદીને 33 વર્ષના વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ જીવન ટૂંકાવ્યું હતું. જેની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ અંગે પારસના માતાએ માતા નિલમબેને (60) ફરિયાદમાં મૃતકના પત્ની હિના ખન્ના (34) અને વોચમેન અંકિત ગોવિંદ પ્રસાદ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.

પારસ અને હિનાના 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા પરંતુ તેના વોચમેન સાથે લગ્નેત્તર સંબંધો હતા જેના વિશે પતિ પારસને જાણ થતાં તેમણે પત્ની અને વોચમેન અંકિતને સમજાવ્યા હતા. પરંતુ પત્ની હિનાએ પતિ સાથે ઝઘડા કરીને તું મને છોડી દે તો મારે અંકિત સાથે જવાય તેમ કહીને માનસિક ત્રાસ આપતી હતી. અંકિત અને હિનાના પ્રેમ પ્રકરણથી કંટાળીને પતિ હિનાને લઈને માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો, પરંતુ અંકિત ત્યાં હિનાને મળવા માટે આવતો હતો, આ પછી પતિ-પત્નીના સંબંધોમાં તાણ વધતા પારસે આપઘાત કર્યો હતો.