The 73rd Foundation Day of Somnath Temple was celebrated

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ૭૩મા સ્થાપના દિવસની તાજેતરમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં કરવામાં આવેલા 7 સમુદ્ર અને 108 નદીના જલાભિષેકની સ્મૃતિમાં પ્રતીકરૂપે સમુદ્ર જળ, ત્રિવેણી તીર્થજળ અને ગંગાજળ કળશ યાત્રા ,ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયં શ્રૃંગારમાં ૨૨૦ કિલો કેરી (૧૧ મણ)નો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર વિસર્જન પછી નવસર્જનનું ઉદાહરણ છે.

દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી. આજે તેને 72 વર્ષ પૂર્ણ થયા હતા. આ પ્રસંગના સાક્ષી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવ્યું કે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો. અને એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

four × 1 =