The Jain Spiritual Traditions Pure Soul Exhibition

ધ જૈન સ્પિરીચ્યુઅલ ટ્રેડિશન્સ પ્યોર સૌલ પ્રદર્શનનું આયોજન તા. 14 એપ્રિલથી 25 જૂન, 2023 દરમિયાન દર મંગળવારથી રવિવાર સવારે 10.30 થી સાંજના 5 સુધી અને ગુરુવારે સાંજના 8 વાગ્યા સુધી બ્રુનેઈ ગેલેરી, SOAS લંડન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ મફત છે.

30 વર્ષોમાં પ્રથમ વખત યોજાયેલા આ જૈન પ્રદર્શનમાં પ્રાચીન અને આધુનિક કલાકૃતિઓનો અદભૂત સંગ્રહ રજૂ કરાયો છે. આ પ્રદર્શનમાં આધુનિક આર્ટવર્ક સાથે સદીઓ જૂની કલાકૃતિઓનું મિશ્રણ રજૂ કરાશે. આ વિચાર પ્રેરક પ્રદર્શન આધ્યાત્મિક પ્રગતિ માટેની તમારી તરસને જાગૃત કરવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.

મુલાકાતીઓ વિકેન્ડમાં સવારે 11:30 થી 4:30 વાગ્યા સુધી અને ગુરુવારે સાંજે 4 થી 7.30 વાગ્યા સુધી તાલિમ પામેલા એક્ઝીબીશન ગાઇડનો આનંદ માણી શકે છે. સંપર્ક: સંદિપ શાહ (SDJA, લંડનના પ્રમુખ) [email protected]

LEAVE A REPLY

two × four =