અમેરિકાના એરિઝોના રાજયમાં એક મહિલા સહિતના ભારતના ત્રણ નાગરિકો બરફથી થીજી ગયેલા તળાવ પર ચાલી રહ્યાં હતા ત્યારે પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના દુઃખદ મોત થયા હતા. આ કરુણ ઘટના એરિઝોનાના કોરોનિનો કાઉન્ટીના વૂડ્સ કેન્યોન લેકમાં 26 ડિસેમ્બરે બપોરે 3.35 વાગ્યે બની હતી.

કોકોનિનો કાઉન્ટી શેરિફ ઓફિસ (CCSO)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “તળાવમાં ગુમ થયેલા પુરૂષો મૃત હાલતમાં મળી આવ્યા છે અને તેમની ઓળખ નારાયણ મુદ્દાના (49 વર્ષ) અને ગોકુલ મેદીસેતી (47 વર્ષ) તરીકે થઈ છે. મૃતક મહિલાની ઓળખ હરિથા મુદ્દાના તરીકે થઈ હતી. ત્રણેય મૃતકો એરિઝોનાના ચાંડલરમાં રહેતા હતા અને મૂળ ભારતના છે.” ચાંડલર એરિઝોનાની રાજધાની ફિનિક્સનું ઉપનગર છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે હરિથાને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હતી, તેમનો જીવ બચાવવાના પગલાં લીધા હતા, પરંતુ તેઓ અસફળ રહ્યાં હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બચાવ કર્મચારીઓએ નારાયણ અને મેદીસેટીની શોધખોળ ચાલુ કરી હતી. આ બને મંગળવારની બપોરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
CCSO સાથેના અધિકારીઓના નિવેદન અનુસાર બે પુરૂષો અને એક મહિલા થીજી ગયેલા તળાવ પર ચાલી રહ્યા હતા અને બરફમાંથી પડી ગયા પછી આ વિસ્તારના સબસ્ટેશન પર તૈનાત ડેપ્યુટીઓને તળાવ પર બોલાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

six + 20 =