Increase in ticket rate in Kashi Vishwanath Temple
(Photo by SANJAY KANOJIA/AFP via Getty Images)

કાશી વિશ્વનાથ મંદિરમાં વધતી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખતા ટીકીટની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટીકીટના રૂ.350ને બદલે રૂ. 500 ચુકવવા પડશે. સપ્તઋષિ આરતીશ્રુંગાર ભોગ આરતીમધ્યાહન ભોગ આરતીની ટિકિટના 180 રૂપિયાને બદલે 300 રૂપિયા કરવામાં આવ્યા છે.  

ટીકીટના વધેલા દરો માર્ચથી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરનું પોતાનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેલેન્ડર પણ હશે અને પૂજારીઓ હવે ડ્રેસ કોડમાં જોવા મળશે.ડિવિઝનલ કમિશનર ઓડિટોરિયમવારાણસી ખાતે યોજાયેલી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 104મી બોર્ડ મીટીંગમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા

LEAVE A REPLY

1 × 2 =