Parul Gheewala

સામાજીક અગ્રણી અને ફીલાન્થ્રોપિસ્ટ શ્રી મહેશભાઈ અને નીતિબેન ઘીવાલાની લાડકી દીકરી અને અલીકુમાર કાનજીના પત્ની તથા કુશ કાનજીની પ્રેમાળ માતા પારૂલબેન ઘીવાલાનું દુ:ખદ નિધન થયું છે. આ ખૂબ જ મુશ્કેલ સમયે તેમના પરિવારજનો શોકમગ્ન હોવાથી કૃપા કરીને કોઈ ટેલિફોન કૉલ્સ કે પરિવારની મુલાકાત ન લેવા વિનંતી કરાઇ છે.

પારૂલબેનના આત્માની શાંતિ અર્થે તા. 25મી ઓગસ્ટ 2022 ગુરુવારે સાંજે 7.30 કલાકે (યુકે સમય) મુજબ ઝૂમ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મીટિંગ ID: 835 5900 0685 અને પાસકોડ: 1234 છે.

આ દુ:ખદ પ્રસંગે પરમકૃપાળુ પરમાત્મા પારૂલબેનના આત્માને શાંતિ આપે અને ઘીવાલા, કાનજી અને જોબનપુત્રા પરિવારના સદસ્યોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે ગરવી ગુજરાત પરિવારની પ્રાર્થના.

ઈમેલ: [email protected]