અમેરિકાએ ત્રણ ભારતીય મેડિકલ સંશોધન સંસ્થાઓને 122 મિલિયન ડોલરનું ભંડોળ આપવાની જાહેરાત કરી છે, જે ટાળી શકાય તેવી મહામારીને અટકાવવા, રોગના જોખમોની વહેલી તપાસ અને ઝડપ તેમ જ અસરકારક કાર્યવાહી કરવા માટે આપવામાં આવશે. 122,475,000નું આ કુલ ભંડોળ પાંચ વર્ષના સમયગાળામાં, ભારતની આરોગ્ય સંશોધન સંસ્થાઓ જેવી કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR), નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી (NIE) ને આપવામાં આવશે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ, આ ભંડોળથી ભારતની પ્રગતિને વેગ મળશે, જે વારંવાર ઉભરતા વાઇરસ પર ICMR સંસ્થાઓ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરીને ચેપી રોગના જોખમોથી સુરક્ષિત કરે છે. આ વર્ષે 30 સપ્ટેમ્બરથી શરૂ થતા ભંડોળ માટેની યોગ્યતા ICMR અને ICMR સંસ્થાઓ સુધી મર્યાદિત છે, જેમાં પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને ચેન્નઇની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીનો સમાવેશ થાય છે. ભારતમાં રાષ્ટ્રીય સ્તરની આવી અનેક સંસ્થાઓનું સંચાલન ICMR દ્વારા કરવામાં આવે છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા આ સંસ્થાઓને ભારતમાં પ્રાથમિકતા ધરાવતા વાઇરસની લેબોરેટરી ખાતરી કરવા માટે આંકડાનું સંકલન અને વિશ્લેષણ કરવા માટે જણાવવામાં આવે છે.